Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પોરબંદર અને જુનાગઢ વચ્ચેનો હાઇવે બંધ થઇ ગયો

હાઇવે ઉપર બે ફૂટ ફરી વળ્યા: રાજકોટ-પોરબંદર હાઇવે ઉપરના ચૌટા ગામ સુધી પાણી પહોંચવાની તૈયારીમાં

પોરબંદર :  સાંજે પાંચ વાગે મળતા અહેવાલ મુજબ ભાદર નદીના પાણી પોરબંદર-જુનાગઢ હાઇવે ઉપર બે ફૂટ ફરી વળ્યા છે જેને લીધે હાઈવે બંધ કરી દેવાયો છે. કુતીયાણાથી ૫ કિલોમીટર દૂર રાજકોટ-પોરબંદર હાઇવે ઉપરના ચૌટા ગામ સુધી પાણી પહોંચવાની તૈયારીમાં છે.

 સવારથી પોરબંદરમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. સમી સાંજે અત્યારે અંધારું ઘોર વાતાવરણ છે અને ધીમે ધીમે વરસાદ જોર પકડતો જાય છે. વીજળીના ગડગડાટ પણ ધીમે ધીમે વધતા જાય છે. ભાદર નદીમાં પાણી વધતા હોય કુતિયાણા અને પોરબંદરના ગામડાઓને એલર્ટ કરાયા છે. નદીના પટમાં ન જવા હુકમો અપાયા છે.(પરેશ પારેખ, પોરબંદર)

(6:43 pm IST)