Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજુલા તાલુકામાં સૌની યોજનાના વાલ્વનું ખાતમુહૂર્ત

રાજુલા :ગુજરાત સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત જે ડેમો ભરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે આજરોજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા તાલુકાના આગરિયા વાવેરા બાબરીયાધાર સહિતના ગામોમાં વાલ્વ મુકવા માટે મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી આગામી સમયમાં આ યોજના સાકાર થયા બાદ ખેડૂતોને ફાયદો થશે વિવિધ નાના મોટા પ્રશ્નો સાંભળ્યા હતા.હીરાભાઈ સોલંકી સાથે જિલ્લા ભાજપના મહામંત્રી રવુંભાઈ ખુમાણ શુકલભાઈ પીઠા ભાઈ નકુમ જીલુભાઈ બારૈયા અરજનભાઈ વાદ્ય રવુંભાઈ ખુમાણ છગનભાઇ છોટાળા કરશનભાઇ ચૌહાણ બાલભાઈ સાંખટ પ્રતાપભાઈ મકવાણા હરસુરભાઈ લાખનોતરા બળવંતભાઈ લાડુમોર મનુભાઈ ઝાપોદર વલકુંભાઈ બોસ ભોળાભાઈ લાડુમોર વનરાજભાઈ વરૂ રમેશભાઈ વસોયા રાજુભાઇ પરસના હીરાભાઈ માજી સરપંચ કનુભાઈ ધાનખડા વિરભદ્ર ભાઈ ડાભિયા અશોકભાઈ વાજા વિક્રમભાઈ શિયાળ સહિતના સરપંચો તાલુકા પંચાયત ના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : શિવકુમાર રાજગોર-રાજુલા)

(11:14 am IST)