Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા કર્મ.ઓની દિવાળી સુધરી..

વઢવાણ, તા.૧૩: સુરેન્દ્રનગર દુદ્યરેજ વઢવાણ નગરપાલિકાના વહિવટદાર અનીલકુમાર ગોસ્વામી તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયા એ તમામ કર્મચારીઓની દીવાળી સુધારી નિવૃત ૮૨ કર્મચારીઓ તેમજ કાયમી કર્મચારીઓ ૧૨૬ એમ કુલ ૨૦૮ કર્મચારીઓ તેમજ અધીકારીઓને ૨૦૧૨ થી ૨૦૧૫ સુધીનો છઠ્ઠા પગાર પંચ નો ડીફ્રરસ રૂપીયા એક કરોડ ઓગણસાઇઠ લાખ એક હજાર ૧૫૯૦૧૦૦૦ ચુકવણુ કર્યુ જેથી કર્મચારીઓ માં ખુશી નો માહોલ છવાયો હતો.

એવીજ રીતે કાયમી સફાઈ કામદારો ૨૧૦ ને ૩૪૫૪ બોનસ નુ ચુંકવણુ કર્યુ તેમજ ૫૭ રોજમદાર કર્મચારીઓને ૧૧૮૪ લેખે બોનશ આપ્યુ આમ નાના મોટા દરેક કર્મચારીઓ તેમનો હકનુ ચુંકવણુ દીવાળી ઉપર કરતાં વહિવટદાર અનીલકુમાર ગોસ્વામી તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયાનો તમામ કર્મચારીઓને ૨૦૧૨ થી ૨૦૧૫ સુદ્યીનુ મળી ગયુ અગાઉ ગયા વર્ષ પ્રમુખ વીપીનભાઇ ટોલીયા અને તેમની ટીમ અને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાએ પણ આજ રીતે ૨૦૧૭ સુધીનુ તફાવત બાકી હતો તે આપીને દીવાળી સુધારી હતી.

આજના છઠ્ઠા પગાર પંચ ના ડીફ્રરસમાં એક કર્મચારી ને ૪૦ હજારથી લઇને ને એકલાખ સુધી તફાવત મળ્યો છે.

(11:15 am IST)