Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

શાપરમાં બેભાન થઇ જતાં બાબરાના ચરખાના સંજયભાઇ કુવાડીયાનું મોત

કામ કરી થાકી ગયા બાદ કારમાં આરામ કરવા સુતા પછી ઉઠ્યા જ નહિઃ પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૩: બાબરાના ચરખામાં રહેતાં અને શાપરમાં શિતળા મંદિર પાસે ગેરેજમાં કામ કરતાં સંજયભાઇ ઉકાભાઇ કુવાડીયા (ઉ.વ.૨૯) નામના આહિર યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સંજયભાઇ સાંજે કામ કર્યા બાદ થાકી ગયા હોઇ ત્યાં પડેલી કારમાં આરામ કરવા માટે થોડીવાર સુઇ ગયા હતાં. એ પછી ન ઉઠતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર બે ભાઇમાં મોટા હતાં.

(11:18 am IST)