Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ચોટીલા પાસે વાહનની ઠોકરે ચડતાં અમદાવાદના યુવાનનું મોતઃ પત્નિ ભારતીબેન ક્રિશ્ચીયનને ઇજા

ચોટીલા દર્શન કરી કોટડાસાંગાણી લોૈકિકે જતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૩: ચોટીલા નજીક બાઇક સ્લીપ થઇ જતાં અમદાવાદ વટવાના લોરેન્સ ઉપકારકુમાર ક્રિશ્ચીયન (ઉ.વ.૩૮) અને તેમના પત્નિ ભારતીબેન (ઉ.વ.૩૦)ને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પતિનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. લોરેન્સકુમાર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્રી છે. પતિ-પત્નિ કોટડા સાંગાણી ફઇ ગુજરી ગયા હોઇ તેમના લોૈકિકે જવા નીકળ્યા હતાં. એ પહેલા રસ્તામાં ચોટીલા દર્શને ગયા હતાં. ત્યાંથી કોટડા તરફ આવતી વખતે ચોટીલાથી ત્રણ કિ.મી. દૂર પહોંચ્યા ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં પતિ-પત્નિ ફંગોળાઇ ગયા હતાં અને દંપતિ ખંડિત થયું હતું.

(11:18 am IST)