Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જસદણના ડો. બોઘરાએ કોરોનાને મહાત આપી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૧૩ :. જસદણ-વિંછીયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરા કોરોનાથી મુકત થતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી છે.

ગત તા. ૪ના રોજ સોશ્યલ મીડિયા મારફત ડો. ભરતભાઈએ જણાવ્યુ હતુ કે મને કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા કોરોના ટેસ્ટ કરાવેલ જેમાં રિપોર્ટ પોઝીટીવ આવેલ ત્યારે હું હોમકોરોન્ટાઈન થયો છું. છેલ્લા અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલ લોકોએ સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરી લેવા પણ અપીલ કરી હતી.

હવે તેઓ કોરોના મુકત થતા ફરી જાહેર જીવનમાં સક્રિય થઈ ગયા છે.

(11:24 am IST)