Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ઉનાઃ પરીણિતાને મરવા માટે મજબૂર કર્યાની સાસરિયાવાળા સામે ફરિયાદ

ઉના, તા. ૧૩ :. શહેરમાં પતિ તથા સાસરીયાના ત્રાસથી કંટાળી જઈ પરીણિતાએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી મૃત્યુ પામતા તેના પિતાએ પાંચ લોકો સામે પરીણિતાને મરવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવી છે.

મૂળ ઉના તાલુકાના ઓલવાણ ગામના હાલ મુંબઈ રહેતા ગાંગાભાઈ કરશનભાઈ વાળાએ ઉના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમની દિકરી પુષ્પાબેન (ઉ.વ. ૩૦)ના લગ્ન પાંચ વર્ષ પહેલા હરેશભાઈ કરશનભાઈ ચાવડા રહે. ઉના સાથે ધામધૂમથી કર્યા હતા. પિતાની ત્રેવડ મુજબ કરીયાવર પણ કરેલ હતો તેમ છતા તેમના સસરા કરશનભાઈ માધાભાઈ ચાવડા, પતિ હરેશ, જગદીશભાઈ, સાસુ માલતીબેન, નણંદ ટીકુબેન રે. ઉનાવાળા અવારનવાર કામકાજ કરતા આવડતુ નથી, તું પિયરથી કરીયાવર લાવી નથી તેવા મેણાટોણા મારી શારીરિક - માનસિક ત્રાસ આપતા ગત તા. ૧૧ના રોજ ઘરે પુષ્પાબેન માનસિક ત્રાસથી કંટાળી જઈ તેમના સાસરીયામા ઘરે પંખાના હુકમાં ચુંદડીના કપડાનો ગળાફાંસો બનાવી ગળાફાંસો ખાઈ જઈ આપઘાત કરી મૃત્યુ પામી હતી. તેથી પુષ્પાબેનને મરવા સાસરીયાવાળાએ મજબુર કર્યાની તથા વિવિધ કલમોની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(11:25 am IST)