Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જેતપુરમાં પૂ.કલ્યાણરાયજી મહારાજની પુષ્પાંજલી સભા યોજાઇ

જેતપુરઃ શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ ગોવિંદકુંજ હવેલી ખાતે બિરાજતા પૂ.પા.ગો.શ્રી કલ્યાણરાયજી મહારાજ નિત્ય લીલા પામેલ હોય તેનીવાક.પુષ્પાંજલી સભા ગત રોજ ધોરાજી રોડ પર આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે મોટી હવેલી-જુનાગઢ વાળા પૂ.પા.ગો.શ્રી કિશોરચંદ્રબાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં પૂ.શ્રી બાલકૃષ્ણ મહારાજ, શ્રીમુકુંદરાયજી મહારાજ (સુરત) શ્રી ગોપેસરાયજી મહારાજ, પુષ્કલાબેટીજી, શ્રી પ્રયોકરાયજી મહોદય સહિત વૈષ્ણવાચાર્યો ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરેલ પૂ.શ્રી કિશોરચંદ્રબાવાએ શ્રી કલ્યાણરાયજી મહારાજના જીવન વિશે માહિતી આપેલ. આ પુષ્પાંજલી સભામાં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ પુષ્પાંજલી પાઠવેલ  શહેરના અગ્રણીઉદ્યોગપતીઓ, રાજકીય આગેવાનો વેપારીઓ સહિત જોડાયા હતા.(તસ્વીરઃ અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(12:40 pm IST)