Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ધનતેરસના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકો દ્વારા સુવર્ણ-ચાંદી અર્પણ : સુવર્ણ જડિત મોતીનો હાર,અલ્કાવલી,તથા ચાંદીનો થાળ અર્પણ કરાયો

દ્વારકા : દિવાળી પર્વના ઉત્સવો પૈકી ધનતેરસના શુભદિને દરવર્ષે દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક સુવર્ણ ચાંદી ઇત્યાદિ આભુષણો ચઢાવી ધન્યતા અનુભવે છે,આજે ધનતેરસન નિમિતે દ્વારકાધીશના એક ભક્ત પરિવાર દ્વારા ઠાકોરજીને અંદાજિત 100 ગ્રામ સુવર્ણ સાથેનો સુવર્ણજડિત મોતીનો હાર તથા અલ્કાવલી અર્પણ કરવામાં આવ્યા હતા જયારે અન્ય એક ભક્ત દ્વારા 800 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કરવામાં આવ્યો હતો

 

(7:25 pm IST)