Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મોરબીના જલારામ મંદિરે સર્વજ્ઞાતિ માટે રાહતદરે અડદિયા વિતરણ શરુ કરાયું.

મોરબી જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ શિયાળાની ઋતુમાં સર્વજ્ઞાતિ માટે રાહતદરે અડદિયા વિતરણ શરુ કરવામાં આવ્યું છે
મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ ઘી માંથી બનેલ અડદીયાનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ આજથી શરૂ કરવામા આવ્યું છે અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે. દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂ. ૩૦૦ ના ભાવે વિતરણ કરવા મા આવશે. જેનો લાભ લેવા શ્રી જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નીર્મીતભાઈ કક્કડની યાદીમાં જણાવ્યું છે.

(11:03 am IST)