Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અમરેલીમાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણી

અમરેલી : સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે ભવ્ય અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાત આરતી સવારે ૭/૩૦ બાદ બપોરના ૧૨/૩૦ પૂ.બાપાનો થાળ સાંજના ૭/૩૦ કલાકે મહાઆરતી ત્યારબાદ બાપાની ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે અત્રેના લીલીયા રોડ ખાતે આવેલ જલારામ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા અમરેલી લોહાણા મહાજન દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ જોડાયો હતો તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું જે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ભીડભંજન ચોક,જીવરાજ મહેતા ચોક, ટાવરચોક, કાશ્મીરા ચોક,થઈ હરિરામ બાપા ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લાઠી રોડ પર આવેલ અંબાબેન નરશીદાસ સોઢા લોહાણા મહાજનવાડી ખાતે મહાપ્રસાદ (જ્ઞાતિ ભોજન)નું આયોજન કરવામાં આવેલ હતું. શોભાયાત્રામાં બાલ જલારામ તેમજ કળશ કન્યાઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. (તસ્વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:01 pm IST)