Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

અંજારના આહીર પરિવાર માટે મકરસંક્રાતિ ગોઝારી બની: સફેદરણ નિહાળી પરત ફરતાં અકસ્માત નડ્યો : બે ના મોત: સાતને ઈજા

ભુજ : કચ્છના પ્રવાસન સ્થળો ઉપર આજે મકરસંક્રાંતિના દિવસે લોકોની ભીડ ઉમટી હતી. તે વચ્ચે માંડવી બીચ પછી સફેદરણ નિહાળવા આવેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો હતો. અંજારના સાપેડા ગામનો આહીર પરિવાર છોટા હાથીમાં સફેદરણ નિહાળી પરત ફરી રહ્યો હતો. ત્યારે ભીરંડીયારા ગામ પાસે ટાયર ફાટતાં તેમનું વાહન પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં બે મહિલાઓ દિપ્તીબેન ડાંગર અને શીતલબેન ડાંગરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાત જણ ને ઈજા થતાં તેમને ભુજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.:

 

(11:13 pm IST)