Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સુલતાનપુર ગ્રા.પં. દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન

ગોંડલ : સુલતાનપુર ગ્રામપંચાયત દ્વારા કોવીડ ૧૯ના સંક્રમણને અટકાવવા બાબતે ગ્રામ પંચાયત તેમજ ગામના આગેવાનો અને વેપારી મંડળના સંયુકત રીતે દસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે જેને અનુલક્ષીને સુલતાનપુર ગામમાં સાંજે ૪થી ૯ વાગ્યા સુધીજ જીવન જરૂરિયાતની દુકાન ખુલ્લી રાખી શકાશે ત્યારબાદ સુલતાનપુર ગામ સંપૂર્ણ બંધ રહેશે આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું તેમજ કોવીડ ૧૯ રસીકરણ સંદર્ભે ૪૫ વર્ષથી મોટી ઉમરના લોકો રસી મેળવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેથી આ કોરોનાની મહામારીને ફેલાવતો અટકાવી શકાય.સ્વૈચ્છીક લોકડાઉન પાળવામાં આવ્યુ તે તસ્વીર.

(10:11 am IST)