Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જસદણના આલણસાગર ડેમમાંથી શાકબકાલાના ધંધાર્થી ચના પલાળીયાનો મૃતદેહ મળ્યો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૪: જસદણ તાલુકાના બાખલવડ ગામે આવેલા જસદણ શહેરને પાણી પુરુ પાડતાં આલણ સાગર ડેમમાંથી બાખલવડ ગામના કોળી યુવાનની લાશ મળતા નાનકડા બાખલવડ ગામમાં અરેરાટી ફેલાઇ છે.

 આ અંગેની વિગતો મુજબ બાખલવડ ગામે આલણસાગર ડેમમાં કોઈ અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાની જાણ જસદણ પોલીસને કરતા જસદણ પોલીસના કિરીટભાઈ ખાચર સહિતનો સ્ટાફ દ્યટના સ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર કાઢી તપાસ કરતાં તે બાખલવડ ગામના કોળી યુવાન ચનાભાઈ છગનભાઈ પલાળીયા ( ઉ. વ. ૩૪ )ની હોવાનું જાણવા મળ્યું હતું. મૃત્યુ પામનાર યુવાનને બે દીકરીઓ તથા એક દીકરો છે અને તે શાક બકાલાનો ધંધો કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે નાનકડા બાખલવડ ગામમાં શોક ફેલાયો છે. બનાવ કઈ રીતે બન્યો તે દિશામાં જસદણ પોલીસના હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ ખાચર તપાસ ચલાવી રહ્યા છે.

(11:30 am IST)