Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ચોટીલામાં ૩૦મી સુધી વિશ્વ પ્રસિધ્ધ ચામુંડા માતાજી મંદિરના દર્શન બંધ

કોરોના સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા

વઢવાણ,તા. ૧૪: કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડાઓ અને મૃત્યુના બનાવના પગલે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ સ્વયંભૂ લોકડાઉનની અપીલના પગેલ ચોટીલા શહેર તા.૧૫-૦૪ થી ૧૮-૦૪ બંધ છે. માર્કેટિંગ યાર્ડ ૧૩-૦૪ થી ૧૮-૦૪ બંધ છે. ત્યારે ચોટીલામાં આવેલ વિશ્વપ્રસિદ્ઘમાં ચામુંડાના દ્વારા ભકતો માટે ૩૦ એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યા છે. સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ આદેશને પગલે આજ રોજ ચોટીલા પ્રાંત સાહેબની ઓફિસે મળેલ મિટિંગ માં લેવાયેલ નિર્ણય બાદ ચોટીલા ચામુંડા માતાજીના મહંત દ્વારા વિડિઓ કલીપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

(11:35 am IST)