Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જુનાગઢના પૂ. ઇન્દ્રભારતીજીનો આજે જન્મદિન : સાદાઇથી ઉજવવા અપીલ

જુનાગઢ, તા. ૧૪ :  રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં શ્રી મહંત અને શ્રી પંચ દશનામ જુના અખાડાના આંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુ. ઇન્દ્રભારતીજી મહારાજનો આજે તીથિ મુજબ ૬૩ મો જન્મદિવસ છે.

ચૈત્રસુદબીજ આજરોજ પૂ.બાપુ ૬ર વર્ષ પુરા કરી ૬૩ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. અને ભારતીય સંસ્કૃતિ તીથિ મુજબ તેમના જન્મદિવસની સેવક સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવે છે. અને તારીખ મુજબ તા. રપ-૪-૧૯પ૯ ના રોજ જન્મ દિવસ છે. આજે પુ. બાપુના જન્મ દિવસ નિમિત્તે પુ. ઇન્દ્રભારતીબાપુએ સેવકોને પોતપોતાના ઘરે રહી સાદાઇથી તેમના જન્મદિવસની ઉજવણી કરવા અને ૧૧ વખત ઁ નમ શિવાય મંત્ર જાપ કરી રાષ્ટ્રને અર્પણ કરી ભગવાનને પ્રાર્થના કરવા અને ભારતમાંથી આ કોરોના મહામારી જલ્દી જાય અને ભારત વહેલું કોરોના મુકત થાય તેવી પ્રાર્થના કરવા અપીલ કરી છે.

(12:44 pm IST)