Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૩૦ મી સુધી તમામ પ્રકારની ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા ૫૦% સુધી રાખવાની રહેશે

ભાવનગર :ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા અનુસાર આવશ્યક સેવાઓ સિવાયની ભાવનગર શહેર તથા જિલ્લાની તમામ સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, નિગમ, કોર્પોરેશન તેમજ તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કચેરીના વડાએ તા.૧૪-૪-૨૦૨૧ થી તા.૩૦-૪-૨૦૨૧ સુધી કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી રાખવાની રહેશે અથવા alternate day એ કર્મચારીઓ ફરજ પર આવે તે રીતની વ્યવસ્થા કરવાની રહેશે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ અંતર્ગત વખતોવખત બહાર પાડવામાં આવતી સુચનાઓ તથા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેમ નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે

(8:43 pm IST)