Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ઉપલેટાના નેપાળી પ્રોૈઢ ભરતભાઇ લોહારનું બેભાન હાલતમાં મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૪: ઉપલેટામાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતાં અને ચોકીદારી કરી ગુજરાન ચલાવતાં ભરતભાઇ બહાદુરભાઇ લોહાર (નેપાળી) (ઉ.વ.૫૫) પાંચ દિવસ પહેલા બિમારીથી બેભાન થઇ  જતાં ધોરાજી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે.

(10:57 am IST)