Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પોરબંદર જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતા અશોકભાઈ શર્મા

મત્સ્યોદ્યોગ કચેરીએ નવા ટોકન બંધ કર્યા : પ્રભારી સચિવ અને કલેકટરની સમીક્ષા : જરૂરત પડયે માછીમારોના સ્થળાંતર માટે પૂર્વ તૈયારી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ :. જિલ્લાના નવા કલેકટર તરીકે નિમણૂક થયેલ અશોકભાઈ શર્માએ પોતાના હોદાનો ચાર્જ સંભાળી લીધો છે.

નવનિયુકત કલેકટર અશોકભાઈ શર્મા ગાંધીનગરથી બદલી થઈને આવેલ છે અને પૂર્વ કલેકટર ડી.એન. મોદીની ખાલી થયેલી જગ્યામાં કલેકટર તરીકે નિમણૂક બાદ તેઓએ હોદાનો ચાર્જ સંભાળી લીધો છે.

પોરબંદરના નવા કલેકટર તરીકે ચાર્જ સંભાળનાર અશોકભાઈએ અગાઉ જૂનાગઢ જિલ્લામાં પોરબંદર હતુ ત્યારે પોરબંદરના પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાના વહીવટદાર તરીકે સફળ કામગીરી કરેલી છે. તેઓ સંસ્કૃત અને સાહિત્યના અભ્યાસુની સાથે શ્રીમદ્દ ભગવદ્ગીતા અને મહાભારતના અભ્યાસુ છે. તેઓએ અગાઉ સોમનાથ ટ્રસ્ટમાં પણ મહત્વની સેવા આપેલી છે. તેમને આજે જિલ્લાના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ સંસ્થાઓના પ્રતિનિધિઓએ આવકાર્યા હતા.

(12:58 pm IST)