Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પોરબંદરમાં કોરાનાના નવા ૪૪ કેસ : ૩૧ દર્દીઓ સાજા થયા : ૧પ૮ વ્યકિતઓ હોમ આઇસોલેશન

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ : કોરાના પોઝીટીવના નવા ૪૪ કેસ આવ્યા છે.

અત્યાર સુધી જિલ્લામાં કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૯પ૧ અત્યાર સુધીમાં પહોંચી છે.

સિવિલ હોસ્પિટલમાં પ૩૪ વ્યકિતઓના કોરાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા ૪૪ કેસ કોરાના પોઝીટીવ આવેલ આ નવા કેસ કડીયા પ્લોટ, વાણીયાવાડ, બીરલા કોલોની ઝવેરી બજાર વગેરે વિસ્તારોમાંથી આવ્યા છે. કોરાનાની સારવારમાં રહેલ ૩૧ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬૮૩ કોરાના સારવારમાંથી સાજા થઇ ગયેલ છે જિલ્લામાં હોમ આઇસોલેશનમાં હાલ૧પ૮ વ્યકિતઓ છે.

(12:55 pm IST)