Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ચોટીલામાં રાજપૂત કરણી સેના એકતા યાત્રા

 

ચોટીલા : રાજપૂત કરણીસેના ગુજરાત દ્વારા આયોજિત એકતા યાત્રા નું ચોટીલા રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ હતું  સુરજ દેવળ મંદિરે પ્રમુખ ભરતભાઈ ધાધલે રાજપૂત કરણી સેનાના  ગુજરાત અધ્‍યક્ષ જે પી જાડેજાનુ ભગવાન સુર્યનારાયણની તસવીર અર્પણ કરી સ્‍વાગત સન્‍માન કરવામાં આવેલ. યાત્રા ચોટીલા આવી પહોચેલ રામચૌક ખાતે કરણી સેના -મુખ શક્‍તિસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રસિંહ ગોહિલ, મયુરધ્‍વજસિંહ ચૌહાણ, જુવાનસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર સહિત સમાજનાં આગેવાનો દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ ત્‍યાંથી યાત્રા એ ચામુંડા તળેટી મઢ ખાતે માતાજીના દર્શન કરી એકતા યાત્રા વાંકાનેર તરફ  પ્રયાણ કરેલ હતું રાજપૂત કરણી સેના આયોજીત એકતા યાત્રા નું સ્‍વાગત કરાયું  (તસ્‍વીરઃ હેમલ શાહ,ચોટીલા )

(11:48 am IST)