Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

જામનગરનાં મોટા વડાળાની સીમમાં શેઢાનો પાળો સરખો બાંધવાનું કહેતા માર માર્યો

(મુકુંદ બદિયા)જામનગર : કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં હરેશભાઈ જાદવભાઈ મેદપરા, ઉ.વ.પ૦, રે. મોટાવડાળા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-પ-ર૦રરના મોટાવડાળા ગામની સીમમાં ફરીયાદી હરેશભાઈના પિતા તેની વાડીએ શેઢે હતા ત્‍યારે આરોપીઓ ભગુભા રૂપસંગ જાડેજા, વિજય ભગુભા જાડેજા, રે. નવાણીયા ખાખરીયા ગામવાળા ફરીયાદી હરેશભાઈની વાડીના શેઢા પર જે.સી.બી. પારો કરતા હતા અને તે પારાના પથ્‍થર ફરીયાદી હરેશભાઈના ખેતરમાં આવતા હોય જેથી ફરીયાદી હરેશભાઈના પિતા એ તેમને વ્‍યવસ્‍થિત પારો કરવાનું કહેતા આરોપીઓએ જેમફાવે તેમ ગાળો બોલી ફરીયાદી હરેશભાઈના પિતાને આરોપી ભગુભા રૂપસંગ જાડેજા એ લાકડાના ધોકા વડે તથા આરોપી વિજય ભગુભા જાડેજાએ લોખંડના પાઈપ વડે ફરીયાદી હરેશભાઈના પિતાને શરીરે આડેધડ મારમારી શરીરે મુંઢ ઈજાઓ કરી બંન્‍ને આરોપીઓ ફરીયાદી હરેશભાઈના પિતાની જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
દારૂ સાથે ઝડપાયો
અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-પ-ર૦રરના રણજીતનગર હરીયા સ્‍કુલના પાછળના ભાગે જામનગરમાં આરોપી શંકરભાઈ ભનુભાઈ સોલંકી, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂ ની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
શેરીમાં કચરો નાખવા બાબતે બઘડાટી
સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હસમુખભાઈ ડાયાભાઈ ચોપડા, ઉ.વ.૪ર, રે. ગોકુલનગર અયોઘ્‍યાનગર શેરી નં.૧૦, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-પ-ર૦રરના ફરીયાદી હસમુખભાઈના ઘર પાસે આરોપીઓ રૂપીબેન, કરશનભાઈ, રે. જામનગરવાળા શેરીમાં કચરો નાખવા બાબતે ઘણા સમયથી બોલાચાલી કરતા હોય જેથી ફરીયાદી હસમુખભાઈ સમજાવવા જતા આરોપી રૂપીબેન અને રૂપીબેનનો દિકરો  કરશન ફરીયાદી હસમુખભાઈ મોઢા ઉપર તથા શરીરે મુંઢ માર મારી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.
દુકાનોના તાળા ફંફોળતો ઝડપાયો
કાલાવડ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-પ-ર૦રરના મેઈન બજાર લીમડા ચોક કાલાવડમાં આરોપી વિશ્‍વરાજસિંહ કનકસિંહ ચૌહાણ, રે. કાલાવડવાળો અંધારામાં લુપાતો છુપાતો અને બંધ દુકાનોના તાળા ફંફોળતો મળી આવેલ છે.
ઝેરી દવા પી લેતા આઘેડનું મોત
અહીં જય સોસાયટી શેરી નં.૧, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક,  જડેશ્‍વર મંદિરની બાજુમાં જામનગરમાં રહેતા નિલેશ લક્ષ્મણભાઈ ધ્રાંગુ, ઉ.વ.૩૯, એ સીટી ભસીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩-પ-ર૦રરના આ કામે મરણજનાર લક્ષ્મણભાઈ ભાયાભાઈ ધ્રાંગુ,  રે. જય સોસાયટી શેરી નં.૧, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક,  જડેશ્‍વર મંદિરની બાજુમાં જામનગરવાળા પોતાના ઘરે કોઈપણ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

 

(1:18 pm IST)