Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગોંડલ મુસ્‍લિમ એકતા મંચ દ્વારા ઇસ્‍લામના સ્‍થાપક વિરૂધ્‍ધ ટીપ્‍પણી કરનાર નુપુર શર્મા વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા આવેદન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.૧૪: ગોંડલ મુસ્‍લિમ એકતા મંચ તરફથી મામલતદાર ને નૂપુર શર્મા વિરૂદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્‍યું જેમાં મુસ્‍લિમ એક્‍તા મંચ પ્રમુખ, ઈમ્‍તિયાઝ શેખ,મુનીરબાપુ પેન્‍ટર, ફિરોજ શેખ વકીલ, સફીક મેમણ ઉપપ્રમુખ મેમણ જમાત તથા કેરમ ગ્રુપ માં તમામ સભ્‍યો હાજર રહ્યા હતા. આવેદન પત્ર દ્વારા માંગ કરી જણાવ્‍યું હતું કે તાજેતરમાં એક ટીવી ચેનલ માં પ્રસારીત કરવામાં આવેલ જ્ઞાનવ્‍યાપી મસ્‍જીદ મુદ્દે એક ટીવી ડીબેટ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા નુપૂર શર્મા દ્વારા ઈસ્‍લામ ધર્મના સ્‍થાપક અને દરેક મુસ્‍લીમ લોકો તેમજ વિશ્વની જાહેર જનતા માટે જેમનું સર્વશ્રેષ્ઠ સ્‍થાન છે તેવા હુઝુર મહંમદ સ.અ.વ. વીશે અભદ્ર નીવેદન કરી અને ઈસ્‍લામના પવીત્રગ્રંથ કુરઆન શરીફ માટે પણ અયોગ્‍ય ટીપ્‍પણી કરી અને ડીબેટ દરમીયાનજે રીતે આ પ્રવકતા વાત રજુ કરતા હતા તે આ ઉપરોકત શબ્‍દો બોલવા સમયે જાણીજોય મુસ્‍લીમ સમુદાય ની મજાક ઉડાવતા હોય તેમજ તેમનું વર્તન ઉશકેરણી જનક હોય જે સહીયારી સંસ્‍કૃતી ધરાવતા દેશમાં વાજબી ન હોય જેથી આ મામલે દેશભરમાં આ પ્રવકતા વિશે વિરોધનો સુર ઉઠવા પામયો છે અને સમગ્ર મુસ્‍લીમ સમાજની લાગણી દુભાણી છે. અમો ની જાણ મુજબ આ વિવાદાસ્‍પદ વીધાન બાદ રાષ્ટ્રીય પ્રવકતા નુપૂર શર્માને તેમની પાર્ટી માંથી છ વર્ષ માટે નિલંબીત કરવામાં આવ્‍યા છે જે તંદુરસ્‍ત લોકશાહીનું ઉતમ ઉદાહરણ છે જેને અમે આવકારીએ છીએ આ મામલે કાયદાકીય કાર્યવાહી પણ જરૂરી હોય દેશની કાયદો વ્‍યવસ્‍થા દરેક ધર્મના નાગરીકોના હકો અધીકારો જાન-માલ સ્‍વમાનની રક્ષા માટે હોય કોઈપણ વ્‍યકતી દ્વારા જાણી જોઈ દેશની એકતા અખંડીતતામાં પલીતો ચાપવામાં આવે તે યોગ્‍ય બાબતના હોય આપ દ્વારા યોગ્‍ય કરવા સમગ્ર મામલાની તપાસ કરાવી નુપૂર શર્મા વિરૂધ્‍ધ થતી કાયદાકીય કાર્યવાહી કરવા જેતે વિભાગને સુચના આપવા માંગ કરી હતી.

(10:35 am IST)