Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાની કિસાન સેવા સહકારી મંડળી, પંચાસીયાની ચુંટણી રદ

જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા ચૂંટણી કરવાનો હુકમ કરતી લવાદ કોર્ટઃ વહીવટદારની નિમણુંક

રાજકોટ, તા., ૧૪: અહીની લવાદ કોર્ટ રાજકોટનાં સીનીયર જજ જયકાંત એન.દવેએ કીશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાની સને ર૦ર૧ થી સને ૨૦૨૬ સુધીની વ્ય.કમીટી સભ્યોની ચુંટણી રદ કરવા અન્વયેનો દાવો મંડળી સભાસદ યુનુસભાઇ માહમદભાઇ ખોરજીયાએ ચુંટણી રદ કરીને ફરીવાર જીલ્લા રજીસ્ટ્રારશ્રી, મોરબી મારફત ચુંટણી કરવાનો દાવો દાખલ કરેલ અને તેમાં નામ. લવાદ કોર્ટ દ્વારા સદરહું કારોબારી સમીતી સભ્યોની ચુંટણી રદ કરીને જીલ્લા રજીસ્ટ્રારશ્રીએ તટસ્થ ચુંટણી અધિકારીશ્રીની નિમણુંક કરીને મંડળીના વ્ય.કમીટી સભ્યોની ચુંટણી ફરીવાર કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકિકત એવી છે કે શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયામાં વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા કારોબારી સમીતી સભ્ય છે અને આ મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. શ્રી કિશાન સેવા સહકારી મંડલી લી. પંચાસીયાના વ્ય.કમીટી સભ્યોની સને ર૦ર૧માં પુર્ણ થતી હોય જેતી સદરહું મંડળીના જાગૃત સભાસદો તટસ્થ રીતે ચુંટણી થાય તેવી માંગ સાથે જરૂરી વિગતો માંગતા પરંતુ વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા તથા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી તેના દ્વારા કોઇ વિગતો, હકિકતો આપવામાં આવેલ નથી અને તે બાબતે રાજય રજીસ્ટ્રારશ્રી, જીલ્લા રજીસ્ટ્રાર શ્રી સહીતની ઓથોરીટી સમક્ષ રજુઆતો થયેલ. વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા તથા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી બેઠા થાળે અને કોઇ પણ સભાસદને જાણ કર્યા વગર ચૂંટણી કરી નાખશે તેવી દહેશત હતી અને સદરહું મંડળીના હોદેદારોએ તે શંકા મુજબ બેઠા થાળે ચૂંટણી કરી નાખેલ જેથી મંડળીના સભાસદોએ આ અંગેની જીલ્લા રજી.શ્રી મોરબીને રજુઆત કરતા નામ. લવાદ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરવાનું જણાવેલ. મંડળીના સભાસદશ્રી યુનુસભાઇ ખોરજીયા એ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર.દેથલીયા મારફત દાવો દાખલ કરી સદરહું ચૂ઼ંટણી રદ કરવા અને ફરીવાર ચૂંટણી કરવા માટેની અરજી આપેલ.

મંડળીના સભાસદશ્રી યુનુસભાઇ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના  એડવોકેટ સતિષ આર.દેથલીયા એવી જોરદાર રજુઆત કરેલ છે કે મંડળીના હાલના હોદેદારોએ તેની પાસે બહુમતી ન હોવા છતાં મંડળીમાં પોતે ચીટકી રહે તેવા બદઇરાદાથી કોઇ પણ સભાસદોને જાણ થયા વગર ચૂંટણી કરી નાખેલ છે અને તે તમામ બાબતો મંડળીના રેકર્ડ ઉપરથી સાબીત થાય છે અને તે રીતે ચૂંટણી પ્રક્રિયા દુષીત થયેલ છે અને જયારે ચૂંટણી પ્રક્રિયા દુષીત થયેલ હોય તેવા સંજોગોમાં વચગાળાના તબક્કે ચુંટણી રદ કરીને ફરીવાર ચુંટણી કરવી જોઇએ. અન્યથા જે સભાસદો પાંચ વર્ષથી ચુંટણી લડવાની રાહ જોઇ રહેલ હોય તેનો કાયદાકીય હક્ક છીનવાઇ જાય છેેેેેે અન લોકોનો સહકારી ક્ષેત્રમાંથી વિશ્વાસ ડગી જાય છે. અને તેનાથી સહકારી માળખુ જોખનમાં મુકાઇ જાય તેવું કૃત્ય, કાર્યવાહીઓ રદ કરી ફરીવા ચુંટણી કરવી જરૂરી છે.

નામ. લવાદ કોર્ટના સીનીયર જજશ્રી જયકાંત દવે દ્વારા અરજી, જરૂરી  દસ્તાવેજો સાથે સાથે કાયદાકીય જોગવાઇઓ આપેલ. અદાલતે તમામ પેપર્સ કાયદાકીય પાસાઓ, કામનું રેકર્ડ તપાસતા અને શ્રી સતીષ આર.દેથલીયાની ઉપરોકત રજુઆતમાં તથ્ય જણાતા મંડળીના કારોબારી સમીતી સભ્યોની ચુંટણી રદ કરીને જીલ્લા રજીસ્ટ્રારશ્રી, મોરબીએ તટસ્થ ચુંટણી અધિકારીશ્રીની નિમણુંક કરીને એક માસમાં ચુંટણી કરવી અને તેનો અહેવાલ નામ. લવાદ કોર્ટમાં રજુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

અને સદરહું હુકમ અન્વયે જીલ્લા રજીસ્ટ્રાર શ્રી અન્વયે મંડળીમાં શુન્ય અવકાશ  સર્જાય નહી તે માટે અને મંડળીનો વહીવટ ખોરવાઇ નહી તે માટે તાત્કાલીક અસરથી વહીવટદારની નિમણુંક કરતો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં મંડળીના સભાસદ યુનુસ માહમદભાઇ ખોરજીયા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ સુભાષ પટેલ, સતીષ દેથલીયા, રેનીસ માકડીયા રોકાયેલ છે.

અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું: મહમદ જાવીદ પીરઝાદા

રાજકોટ, તા., ૧૪: વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદાએ આ અપીલ અંગે જણાવ્યું હતું કે, હવે આ ચૂંટણી રદ થતા અમે ઉપલી કોર્ટમા઼ અપીલ કરીશું.

(11:30 am IST)