Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સગીરાને ભગાડી જનાર થાનનો ૯ માસથી ફરાર આરોપી ઝડપાયો

વઢવાણ,તા.૧૪ : ગઇ તા.૦૭/૦૯/૨૦૨૧ના થાનગઢ પરીમલ કારખાના સામે મફતીયાપરા પાસેથી આરોપી અજયભાઇ ઘનશ્‍યામભાઇ રાજગોર રહે.થાનગઢ ધોળેશ્વર પ્‍લોટ તા.થાનગઢ વાળો ફરીયાદીની સગીર વયની દીકરીને પ્રેમજાળમા ફસાવી  ભગાડી ગયેલ હોય જે અંગે થાનગઢ પો.સ્‍ટે.ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૦૨૧૦૩૪૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ,૩૬૩,૩૬૬, તથા પોકસો એકટ અધિનીયમ ૨૦૧૨ની ક.૧૨ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

 જે ગુન્‍હાના આરોપી ભોગબનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્‍સ.  એમ.ડી.ચૌધરી   દ્વારા એન્‍ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની અલગ અલગ ટીમો બનાવી, ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી આરોપીના રહણાંક સરનામે તથા મળી આવવાના સંભવીત આશ્રયસ્‍થાનોએ તપાસ કરવામા આવતા, હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ ટીમને ચોકકસ હકીકત મળેલ કે આ કામનો આરોપી ભોગ બનનાર સાથે સુરેન્‍દ્રનગર ખાતે આવનાર છે જે હક્‍તિ આધારે તપાસ હાથધરી ભોગ બનનાર સગીરાને આરોપી અજયભાઇ ઘનશ્‍યામભાઇ તેરૈયા  રાજગોર ઉવ.૨૯ ધંધો.મજુરી રહે.થાનગઢ ધોળેશ્વર પ્‍લોટ તા.વઢવાણ  વાળા સાથે શોધી કાઢી સુરેન્‍દ્રનગર એલ.સી.બી.કચેરી ખાતે લાવી પ્રાથમીક પુછપરછ કરી પોલીસ ઇન્‍સ.  થાનગઢનાઓને આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

 પો.સબ.ઇન્‍સ.શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. ઋતુરાજસિંહ નારસંગભા તથા વાજસુરભાઇ લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્‍સ. અશ્વિનભાઇ ઠારણભાઇ તથા અનિરૂધ્‍ધસિંહ અભેસંગભા તથા અમરકુમાર કનુભા ગઢવી તથા પો.કોન્‍સ. તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા નિર્મળસિંહ મંગલસિંહ તથા સંજયસિંહ ઘનશ્‍યામસિંહ નાઓ એ રીતેની ટીમ દ્વારા સગીરાને ભગાડી છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢવામા આવેલ છે.

(11:46 am IST)