Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સાળંગપુર શ્રીકષ્‍ટભંજનદેવ હનુમાનજીને પૂનમ નિમિતે ફૂલોનો શણગાર -મારૂતિ યજ્ઞ-ષોડશોપચાર પૂજન

વાંકાનેર : શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્‍યાત શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે આજે પ.પૂ.શાષાી  સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્‍વામીના માર્ગદર્શનશ્રી કષ્‍ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્‍ય વાઘાનો શણગાર કરી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્‍વામી દ્વારા  કરવામાં આવેલ એવં દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવેલ એવં સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્‍વામી દ્વારા કરવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ. સાંજે ૫:૩૦ કલાકે શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્‍ય ષોડશોપચાર પૂજન અર્ચન-પુષ્‍પાભિષેક કરી સાંજે ૭ કલાકે સંધ્‍યા આરતી કરવામાં આવેલ. જેનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો salangpur Hanumanji- official યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન તથા પ્રત્‍યક્ષ લાભ લઇ ધન્‍યતાનો અનુભવ કર્યો હતો.

(11:47 am IST)