Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

દામનગરના સંવેદનશીલ સરપંચની સરાહનીય કામગીરી

(વિમલ ઠાકર દ્વારા) દામનગરઃ તા. ૧૪: ભુરખીયા હનુમાનજી ગામે સ્‍થાનિક સરપંચ દ્વારા વર્ષોથી ચાલતા દલિત સમાજ અને વાલ્‍મિક સમાજના સ્‍મશાનમાં ભુમિદાહ માટેની જગ્‍યાના પ્રશ્નનો સરપંચ રમેશભાઇ બારડની મધ્‍યસ્‍થો થી ઉકેલ લવાતા દલિત સમાજ અને વાલ્‍મિકી સમાજે આભાર વ્‍યકત કર્યો હતો.

આ ઉપરાંત સંરપંચે ગામના દેવી પૂજક પરીવારના જીર્ણ અવસ્‍થાના મકાનને સ્‍વખર્ચે પાકું મકાન બનાવી દીધુ હતું. તેમજ સ્‍મશાનમાં સિમેન્‍ટ આર્ટિકલના ખુંટા, તાર ફેન્‍સિંગ અને બાંકડા મૂકી વૃક્ષોરોપણ કરવાની તૈયારી કરતા લોકો મદદે આવ્‍યા હતા.

(1:29 pm IST)