Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પુત્રીના જન્‍મ બાદથી માનસિક અસ્‍થિર મહિલાએ પુત્રી સાથે લાઠીના નારણગઢમાં ટ્રેન હેઠળ ઝંપલાવી મોત મીઠુ કરતા અરેરાટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૪ : લાઠીના નારણગઢ (નવાગામ)ની સિમ નજીકથી પસાર થતા રેલ્‍વે ટ્રેક પર ટ્રેન નીચે ઝંપલાવતા માતા અને સાત માસની બાળકીના મૃત્‍યુ નિપજયા હતા પોલીસની તપાસમાં ઢસાની ૩૦ વર્ષની દયાબેન ધવલભાઇ ચાવડા તેમની દીકરીના જન્‍મ બાદથી માનસીક રીતે અસ્‍થિર હોય અને આ માનસિક અસ્‍થિરતાના કારણે તેઓએ તેની સાત માસની બાળકી શિયા સાથે રેલવે ટ્રેક ઉપર આવી ગઇ હતી ટ્રેનની હડફેટે આવી જવાને કારણે બંને માતા-પુત્રીના મૃત્‍યુ નિપજયાનું ખુલ્‍યું હતું.

આ બનાવને લઇને માતા મહિલા દયાબેનના ભુરખિયા ગામે રહેતા ભાઇ હરદેવસિંહ અમરસિંહભાઇ ચાવડા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

દામનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને અમરેલી વિભાગના ડી.વાય.એસ.પી. જે.પી.ભંડારી દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી

(1:46 pm IST)