Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

થાનગઢના તરણેતરમાં વિજળી પડતા ૩ ભેંસના મોત

દોઢ ઇંચ વરસાદ ગાજવીજ સાથે વરસ્યો : માલધારી પરિવાર ઉપર સંકટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : થાનગઢ તાલુકાનામાં રાત્રે વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસયો હતો.જેમાં તરણેતર ગામે ગત રાતે ૮.૧૫ વાગ્યે આશરે રાતે વીજળી પડતા વાઘાભાઈ વાલજીભાઈની ૩ ભેંસનું મોત થયું હતું.જે આશરે ભેંસની કિંમત નેવુ હજારની હતી.જેથી વીજળી પડતા ખેડૂતને ભેંસ ખોવાનો વારો આવ્યો હતો.

હાલમાં ત્રણ ભેંસોના વીજળી પડતાં મોત નિપજતા સમગ્ર પંથકમાં માલધારીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજના પગલે અનેક પશુઓ પર વિજળી પડતા મોતને આ ચાલુ વર્ષે ભેટયા છે ત્યારે વધુ ત્રણ ભેંસોના થાન પંથકમાં તરણેતર ગામમાં વીજળી પડતાં મોત નિપજવા પામ્યા છે.

(11:35 am IST)