Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

એરફોર્સ દ્વારા જામનગર જિલ્લામાં 6 હેલિકોપ્ટરની મદદથી બચાવ અને રાહત કામગીરી

બે V5 અને 4 ચેતક હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી : સાંજ સુધીમાં 24 જેટલા નાગરિકોને પુરમાંથી બચાવી સલામત સ્થળે ખસેડાયા

જામનગર : એરફોર્સ દ્વારા જામનગર જિલ્લામાં 6 હેલિકોપ્ટરની મદદથી બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બે V5 અને 4 ચેતક હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં આજ સાંજ સુધીમાં 24 જેટલા નાગરિકોને પુરમાંથી બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી નાગરિકોના બચાવની કામગીરી સેનાના જવાનો દ્વારા  આગામી સમયમાં પણ શરૂ રહેશે.

 

(9:32 pm IST)