Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ચિંતા :આશ્રયસ્થાનો તથા અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ તથા જીવન જરૂરિયાતની ચીજો સાથેની આશરે 3 હજાર કિટ્સ મોકલાઈ

જામનગર જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદના કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે.ત્યારે રાજ્યમંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરી આશ્રયસ્થાનો તથા અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ તથા જીવન જરૂરિયાતની ચીજો સાથેની આશરે 3 હજાર કિટ્સ સ્વયંસેવકોના સહયોગથી મોકલવામાં આવી છે.રાજ્યમંત્રીએ તેઓ સત્વરે ગાંધીનગરથી જામનગર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે તેમ જણાવ્યું છે.

(9:38 pm IST)