Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કચ્છના મુન્દ્રામાં જૈન સમાજ દ્વારા પર્યુષણ મહા પર્વ ની તપ ત્યાગ અને ભક્તિ ભાવના સાથે ઉજવણી: ૬૮ ઉપવાસ અને માસ ખમણની ઉગ્ર આરાધના

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) કચ્છના મુન્દ્રામાં પર્યુષણ મહા પર્વ ની તપ ત્યાગ અને ભક્તિભાવ સાથે ઉજવણી હતી. વિવિધ સંઘ દ્વારા તપસ્વીઓ ના પારણા નો કાર્યક્રમ યોજાયો હતો..

મુન્દ્રા આઠ કોટિ નાની પક્ષ જૈન સંઘ ના ૨૩ વર્ષ ના પલક યોગેશ વાડીલાલ શાહ ની માસ ખમણ ની ઉગ્ર તપસ્યા બાદ આજે તેમના પારણા પ્રસંગે વિવિધ મહાનુભાવો એ તપસ્વી પલક ના દર્શન નો લાભ લીધો હતો..

આજે મુન્દ્રા ની ફોફ્ડ ફળિયા ની વાડી માં મુન્દ્રા સમસ્ત જૈન સંઘ ના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા અને તેમની સાથે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ભાઈ ગઢવી અને મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ ભાઈ જોશી. મુન્દ્રા શહેર યુવા ભાજપ ના પ્રમુખ કરણ મહેતા અને નગરપાલિકા ના કાઉન્સિલરો  એ માસખમણ ની તપસ્યા કરનાર પલક શાહ ને સાત્ય પૂછી વંદન કર્યા હતા.

મુન્દ્રા માં માસ ખમણ ની ઉગ્ર તપસ્યા બાદ આજે આઠ કોટિ નાની પક્ષ જૈન સંઘ ના ૨૩ વર્ષીય પલક યોગેશ ભાઈ શાહ ના પારણા પ્રસંગે સંઘ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું.. અને આઠ કોટિ નાની પક્ષ ના સંઘપતિ ભૂપેન્દ્રભાઈ ભાઈ મહેતા અને આગેવાનો એ ચાંદીનો નાળીયેર અર્પણ કરી શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરી વંદન કર્યા હતા..નાની પક્ષ જૈન સંઘ ના નીતિન શાહ. કાંતિલાલ શાહ. હિરેન ભાઈ. અનિલ શાહ. મેહુલ શાહ. રાઘવજી દેઢિયા તેમજ નીલીમા બેન મહેતા. અનીતા બેન સાવલા. રક્ષા બેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

મુન્દ્રા આઠ કોટિ નાની પક્ષ જૈન સંઘ માં પલક શાહ ની માસ ખમણ ની તપસ્યા એક ઐતીહાસીક સંભારણુ બની ગયું... પલક ને આજે ઠેર ઠેર થી શુભેચ્છાઓ પ્રાપ્ત થઇ રહી છે.

મુન્દ્રા માં પર્યુષણ મહા પર્વ ની તપ ત્યાગ અને ભક્તિ ભાવના થી ઉજવણી કરાઈ હતી..

મુન્દ્રા તપાગચ્છ જૈન સંઘ માં મહાસતી સિધ્ધિ દર્શનાજી આદિ થા

ઠાણા ૪ ની નિશ્રામાં તપ ગચ્છ જૈન સંઘ ના પ્રમુખ વિનોદ ભાઈ ફોફ્ડિયા નો આજે ૬૨ મોં ઉપવાસ છે અને આગામી ૨૦ તારીખ ના ૬૮ ઉપવાસ પૂર્ણ થયા બાદ પારણાં કરવાં ના ભાવ છે.. આજે વિનોદ ભાઈ ૬૨ માં ઉપવાસે સાત્યાં માં છે..તેમજ તપ ગચ્છ જૈન સંઘ માં પર્યુષણ પર્વ દરમ્યાન  અઠાઇ તપ 15 અને 16 ઉપવાસ નીશ્રાવક અને ષ્રાવિકા ની તપસ્યા ચાલુ છે..

મુન્દ્રા માં પર્યુષણ પર્વ દરમ્યાન છ કોટિ જૈન સંઘ માં ૮ જેટલીઅઠ્ઠાઇ તપ ની ઉગ્ર તપસ્યા થઈ હતી...અને ગઈ કાલે છ કોટિ જૈન સંઘ ના અતિથિ ગ્રૂહ માં આઠ અઠાઇ તપ ના તપસ્વીઓ નો સન્માન કરાયો હતો અને સમસ્ત જૈન સંઘ ના ભાઈ બહેનો એ તપસ્વીઓ ને સાત્યા પૂછીહતી..

મુન્દ્રા છ કોટિ જૈન સંઘ ના નવીન મહેતા. અશ્વિન મહેતા.ભોગીલલ મહેતા તેમજ મહેતા નેમછંદ ન્યાલ ચંદ પરિવારે પ્રભાવના અને તપસ્વી ઓના પારણાં નો લાભ લીધો હતો. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(10:26 am IST)