Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગરમાં આઇએનએસ વાલસુરા દ્વારા રાહત-બચાવ

જામનગરઃ જામનગરમાં અવિરત અને ભારે વરસાદના પગલે અને જિલ્લા નાગરિક વહીવટી તંત્રની વિનંતી પર, જામનગર શહેરના વરસાદ પ્રભાવિત વિસ્તારોના વિવિધ ભાગોમાંથી ફસાયેલા નાગરિકોનેબ ચાવવા માટે નાગરિક વહીવટી તંત્રને મદદ કરવા માટે INS વાલસુરાના કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી. નૌકાદળ દ્વારા તૈનાત બોટો દ્વારા સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. નૌકાદળની ટીમો ફસાયેલા નાગરિકોને તાજું ભોજન અને સૂકા રાશન પણ આપી રહી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) 

(1:24 pm IST)