Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગિરનાર પર ભારે વરસાદથી રોપ-વે બીજા દિવસે પણ બંધ

તંત્રની સુચના મુજબ હજુ ગુરૂવાર સુધી બંધ રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૪ : ગિરનાર પર ભારે વરસાદના કારણે રોપ-વે આજે સતત બીજા દિવસે પણ બંધ રહયો છે. ગિરનાર પર્વત અને તેના જંગલમાં સતત ત્રણ દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ  વરસી રહયો છે. ઉષા બ્રેકો કંપનીના રીજીયોનલ હેડ દિપકભાઇએ સવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે ભારે વરસાદ અને તેજ ગતિથી ફુકાતા પવનને લઇ આજે પણ બીજા દિવસે  ગિરનાર રોપ-વે બંધ રાખવામાં આવેલ છે.આગામી તા.૧૬ ગુરૂવાર સુધી તંત્રની સુચના મુજબ ગિરનાર રોપ-વે બંધ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતુ.

(1:35 pm IST)