Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અમરેલીમાં એલર્ટ:જાફરાબાદના બંદરે 100 બોટ પરત ફરી : હજુ 500 બોટો મધદરિયામાંથી આવવાની બાકી

ખરાબ હવામાનના કારણે ફિશરીશ વિભાગ દ્વારા માછીમારોને ટોકન આપવાનું પણ બંધ કરાયું

અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ થયું છે,  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે .ફિશરીજ વિભાગ દ્વારા દરિયામા ગયેલી જાફરાબાદની 600 ઉપરાંતની બોટો પરત બોલાવી લેવામાં આવી છે . હવામાન ખરાબ હોવાથી 100 જેટલી બોટ જાફરાબાદ બંદરે પરત ફરી છે જયારે હજુ 500 જેટલી બોટો મધ દરિયામાં છે. તો હાલ ખરાબ હવામાનના કારણે ફિશરીશ વિભાગ દ્વારા માછીમારોને ટોકન આપવાનું પણ બંધ કરવામાં આવ્યું.

(1:50 pm IST)