Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબીમાંથી લગ્નના ઈરાદે સગીરાનું અપહરણ

લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ

મોરબી શહેરી વિસ્તારમાંથી સગીરાને એક શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચે અપરહણ કરી લઇ ગયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

   મળતી માહિતી મુજબ મોરબી શહેર વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને ગત    તા.-૪-૦૯ ના રોજ અક્ષય દિનેશભાઈ ડાભી (રહે-વિજયનગર મૂળ વાટાવદર તા.હળવદ વાળો ) લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(7:11 pm IST)