Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબીમાં બીમારીથી કંટાળી વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપધાત.

વૃદ્ધે પોતાના ઘરે રસોડામાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો

મોરબીની માળિયા વનાળીયા લાઈન્સનગરમાર રહેતા વૃદ્ધને લાંબા સમયથી છાતીમાં દુખાવો હોય અને દવા પીવે ત્યારે દુખાવો ન થયો હોય અને દવા નહી પીવે ત્યારે દુખાવો થતો હોય જેથી લાગી આવતા વૃદ્ધે પોતાના ઘરે રસોડામાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હોવાની માહિતી મોરબી બી ડીવીઝન પોલીસ માંથી મળી હતી

મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળીયા લાઈન્સનગરમાં રહેતા મુળજીભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.૬૫) ને ઘણા સમયથી છાતીમાં દુખાવાની બીમારી હોય અને દવા પીવે ત્યારે દુખાવો ન થતો હોય અને દવા નહી પીવે તો દુખાવો થતો હોય જે બાબતે લાગી આવતા તેને ઘરમાં રસોડામાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:11 pm IST)