Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

અધિકમાસની એકાદશી નિમિતે દ્વારકાધીશ જગતમંદિરે કુંડલા ભોગ મનોરથ

દ્વારકા : દ્વારકા જગતમંદિરે પવન પુરુષોત્તમ માસમાં વર્ષ દરમિયાન ઉજવાતા તહેવારો જગતમંદિરમાં ઈંજ્વાય છે, આજે અધિક આસો વડ એકાદશીના શુભ દિને એક વૈષ્ણવ પરિવાર દ્વારા સાંજે ઉત્થાપન દર્શન સમયે કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો,જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ ઓનલાઇનના માધ્યમથી લાભ લીધો હતો,જગતમંદિરના વારાદાર નેતાજી પૂજારી તેમજ મુરલીભાઈ પૂજારી દ્વારા ઠાકોરજીના વિશેષ શૃંગાર સાથેનો કુંડલા ભોગ મનોરથ યોજાયો હતો

 

(8:27 am IST)