Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જોડિયામાં બ્રાહ્મણ શેરી ગરબી મંડળમાં આઠમના 'ઇશ્વર વિવાહ' ભકિતભાવ પૂર્વક ઉજવાયા

 વાંકાનેરઃ   જામનગર જિલ્લાના જોડિયાધામ માં પરા વિસ્તાર ના આવેલ વર્ષો પુરાની ઐતિહાસિક ગરબી 'બ્રાહ્મણ શેરી'માં શ્રી બ્રાહ્મણ શેરી ગરબી મંડળ ખાતે તા.૧૩/૧૦/૨૧ ને બુધવારના રોજ નવરાત્રી ના આઠમના પાવન પર્વે પ્રતિ વર્ષ યોજાતા 'ભગવાન ભોળાનાથ શિવજીના ઈશ્વર વિવાહ' સુંદર આયોજન કરવામાં આવેલ હતું , ગઈકાલે આઠમ ના ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે 'ઈશ્વર વિવાહ' યોજાયેલ હતો જેમાં 'પોઠ્યામાં ભગવાન ભોળાનાથ શિવજીનુ સ્વરૂપ ધારણ' મહાદેવજી ની સવારી પોઠ્યા સાથે ભૂત , પ્રેત, શિવજી ની જાજેરી જાન ગરબી મંડપ માં વાજતે ગાજતે ઢોલ, નગારાના અને શખોના ધેરા પડધા સાથે આવેલ 'ઈશ્વર વિવાહ'માં મહાદેવજી ના વેષ સાથે પધારેલ શિવજી ના દર્શનથી ભાવિકો ભાવ ઉત્સક થયા હતા, મહાદેવ હર, હર હર મહાદેવના નારાથી વાતાવરણ ભકિતમય બની ગયેલ હતું ઈશ્વર વિવાહમાં ભગવાન ભોળાનાથ શિવજી ની 'મહા આરતી' ઢોલ, નગારા સાથે શ્રી બ્રાહ્મણ શેરી ગરબી મંડળ ના સર્વે ભાવિક ભકતજનોએ શ્રદ્ઘાપૂર્વક ઉતારેલ હતી તેમજ આઠમ હોય પ્રાચીન ગરબા ની રમઝટ જામી હતી આઠમ ના છેલ્લે 'આદ્યશકિત તુજને નમુ રે બહુચરી ગુણપત લાગુ પાય , દિન જાણીને દયા કરો રે બહુચરી મુખે માંગુ તે થાય' આ પ્રસિદ્ઘ ગરબાનુ ગાન થયેલ ગઈકાલે આઠમ હોય બ્રાહ્મણ શેરી ગરબી મંડળ ખાતે ઈશ્વર વિવાહ નો લાભ લેવા વીશાળ સંખ્યામાં જોડિયા ના નગરજનોએ લાભ લીધેલ હતો દિવ્ય ભકિતમય માહોલ સાથે અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભગવાન શિવજી ના 'ઈશ્વર વિવાહ' ઉજવાયેલ હતા જે યાદી શ્રી બ્રાહ્મણશેરી ગરબી મંડળ, જોડિયા વતી ભતુભાઈ નકુમ, તથા હિતેશ રાચ્છ ની યાદીમાં જણાવાયું છે.

(10:26 am IST)