Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કોલસાની અછતે મોરબીના પેપરમિલ ઉદ્યોગની દશા બગાડી, ઉત્પાદન કાપ મુકવો પડે તેવી ભીતિ

પેપરમિલ ઉદ્યોગની જરૂરિયાતના ૨૦ ટકા જ કોલસો મળે છે આગામી દિવસોમાં ૮૦ ટકા સુધી ઉત્પાદન કાપ મુકવો પડશે.

મોરબી :હાલ સમગ્ર દેશમાં કોલસાની અછતથી વીજ સંકટ ઝળુંબી રહ્યું છે ત્યારે મોરબીના ઉદ્યોગ પર પણ કોલસાની અછતે માઠી અસર કરી છે અને મોરબીના પેપરમિલ ઉદ્યોગને સરકાર તરફથી મળતા કોલસામાં કાપ મુકવામાં આવતા કોલસાની તંગીને પગલે પેપરમિલ ઉદ્યોગને આગામી દિવસોમાં ૮૦ ટકા સુધી ઉત્પાદન કાપ મુકવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે

કોલસાની અછતથી મોરબીના પેપરમિલ ઉદ્યોગની દશા બગડી છે જે મામલે મોરબી પેપરમિલ એસો પ્રમુખ વિપુલભાઈ કોરડીયા જણાવે છે કે મોરબી આસપાસના વિસ્તારમાં ૪૫ થી વધુ પેપરમિલ યુનિટો ધમધમે છે હાલ કોસની અછત છે અને સરકાર દ્વારા જીએમડીસી મારફત જે કોલસો ફાળવાય છે તે હાલ ૨૦ ટકા જ મળે છે અને GMDC મારફત મળતા કોલસાના ૨૭૦૦ થી ૩૦૦૦ રૂ પ્રતિ ટનના ભાવ સામે પેપરમિલ ઉધોગપતિઓએ ઈન્ડોનેશીયન કોલ ૧૨ હજાર રૂપિયા પ્રતિ ટનના ભાવથી ખરીદવો પડે છે જોકે પેપરમિલ બોઈલર ડીઝાઇન માટે લિગ્નાઈટ કોલસો જ ઉત્તમ રહે છે જે ભાવમાં સસ્તો છે અને ગુણવત્તાની દ્રષ્ટીએ પણ ઉત્તમ છે હાલ મોરબીમાં પ્રતિ દિન ૮૦૦૦ થી ૮૫૦૦ ટન પ્રોડક્શન પેપરમિલ ઉદ્યોગ કરે છે જેના માટે દૈનિક ૨૨૦૦ થી ૨૫૦૦ ટન કોલસાની જરૂરત રહે છે જોકે GMDC દ્વારા ૨૦ ટકા જ મળે છે જેથી ઉદ્યોગપતિઓએ પ્રાઈવેટ ઈમ્પોર્ટરો પાસેથી ખરીદવાની ફરજ પડે છે
આગામી દિવસોમાં ૭૦ થી ૮૦ ટકા પ્રોડક્શન કાપ મુકવો પડશે
મોરબી પેપરમિલ એસો પ્રમુખ વિપુલભાઈ કોરડીયા જણાવે છે કે જો આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ૭૦ થી ૮૦ ટકા ઉત્પાદન કાપ મુકવો પડશે અને સ્થિતિ લાંબી ખેચાશે તો પેપરમિલ બંધ કરવાનો વારો આવશે તો સરકાર પાસે માંગ કરી હતી કે ૩ મહિના પહેલા ડીઓ સેન્કશન કરેલ હોય તે પ્રમાણે ૧૦૦ ટકા ડીઓ ફાળવવામાં આવે.

(6:54 pm IST)