Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કચ્છ સરહદે મા આશાપુરા અને ગુરુ દત્તાત્રયના રખોપા- અમિતભાઈ શાહ : લાંબા સમય બાદ કચ્છ આવેલા અમિતભાઈને સન્માન સાથે આવકાર બાદ અપાઈ ભાવસભર વિદાય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: કચ્છ આવેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહ મા આશાપુરાના દર્શને માતાના મઢ પહોંચ્યા હતા. અહી તેમણે મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. દરમ્યાન ધોરડો મધ્યે પોતાના જુસ્સાદાર પ્રવચનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ જણાવ્યું હતું કે, કચ્છ સરહદે મા આશાપુરા અને ગુરુ દત્તાત્રેયના રખોપા છે. લોકસભાની ગત ચુંટણી દરમ્યાન તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કચ્છ આવ્યા બાદ તેઓ લાંબા સમય બાદ અહી આવ્યા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અમિતભાઈની કચ્છની આ પહેલી મુલાકાત હોઈ કચ્છ ભાજપમાં જબરદસ્ત ઉત્સાહ હતો. મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ અમિતભાઇને સન્માનભેર આવકાર આપ્યો હતો. જોકે, અમિતભાઈની વિદાય સમયે ભાવવિભોર માહોલ સર્જાયો હતો

(9:12 am IST)