Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આદિપુરના સિંધી પરિવારના વૃધ્ધ પિતા અને યુવાન પુત્રએ સાથે આપઘાત કરતા ચકચાર

તળાવમાં ઝંપલાવી જીવ દીધો, દિવાળીના તહેવારોમાં શોકનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૪ : આદિપુરના સિંધી પરિવારના એક જ કુટુંબના બબ્બે પુરુષ સભ્યોએ  આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલાં ગુમ થયેલા ૬૫ વર્ષીય ગુરુમુખદાસ ઉર્ફે ગુલભાઇ ડાલુમલ નાથાણી અને તેમના ૪૨ વર્ષીય પુત્ર કનૈયાલાલ નાથાણીની લાશ અંતરજાળ ગામના તળાવમાથી મળી આવી હતી. આ પિતા પુત્ર પૈકી પિતા ખાનગી દુકાનમાં નોકરી કરતા હતા જયારે પુત્ર વીજ કચેરીમાં નોકરી કરતો હતો. આત્મહત્યા કરવાનું કારણ જાણવા મળ્યુ નથી. જોકે, દિવાળીના સપરમાં તહેવારો દરમ્યાન એક સાથે પિતા પુત્ર એમ બબ્બે જણની આત્મહત્યાના બનાવે ચકચાર સાથે સિંધી સમાજમાં શોકનો માહોલ સજર્યો છે.

(11:31 am IST)