Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ખંભાળીયાઃ ચર્ચાસ્પદ ક્રિકેટના જુગારમાં ૧પ હજાર લીધેલા પોલીસ જમાદાર તથા મદદગાર જેલ હવાલે

ખંભાળીયા, તા., ૪: તાજેતરમાં ડી સ્ટાફના જમાદાર યોગેન્દ્રસિંહ રાઠોડ આઇ.પી.એલ.ના ક્રિકેટ મેચના જુગારમાં રહેમ દીલી રાખવા માટે તે તથા તેના સાગરીત દેવ જોશીની એસીબી પીઆઇ શ્રી એ.ડી.પરમારે ધરપકડ કરી હતી.

બાદમાં રાજકોટ એસીબી પીઆઇ શ્રી રાજુભાઇ સોલંકી દ્વારા આ અંગે ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવેલી તથા આ બન્ને આરોપીઓને ખંભાળીયા મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને પાંચ દિવસની રીમાન્ડ માટે મંગાતા રીમાન્ડ ના મંજુર થતાં જેલ હવાલે કરાયા છે. જો કે તપાસમાં આરોપીએ ફોનમાં બે અન્ય પોલીસ કર્મીઓના નામો લીધા હોય તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે તથા એક-બે વ્યકિતઓની પુછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.

(11:28 am IST)