Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સુરેન્દ્રનગરની સી. યુ. શાહ ફિઝિયોથેરાપી કોલેજમાં ફીઝીકલી કલાસ ચલાવતા ફરિયાદ

સરકારની કોવિડ ૧૯ની ગાઇડ લાઇનનો ભંગ કરી

(ફઝલ ચૌહાણ) વઢવાણ તા. ૧૪ :.. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ ફિઝીયોથેરાપી કોલેજમાં ફીઝીકલ રીતે થીયરીના કલાસ ચલાવતા તેમના વિરૂધ્ધ ફરીયાદ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લ એનએસયુઆઇના પ્રમુખ સહિત આગેવાનોએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી કોલેજ દ્વારા કોવિડ-૧૯ ની સરકારી ગાઇડ લાઇનનું ઉલંઘન કરી થેરાપીના  કલાસ ફીઝીકલી ચલાવતા હોય તાકીદે કોલેજના સત્તાવાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

એનએસયુઆઇના હોદેદારોએ ખરાઇ કરવા કોલેજમાં રૂબરૂ જઇ તપાસ કરતા કલાસરૂમમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યાનું માલુમ  પડતા સૌપ્રથમ પ્રિન્સીપાલને કલાસ બંધ કરવા રૂબરૂ રજુઆત બાદ કલેકટરને ફરીયાદ કરવામાં આવી છે.

એનએસયુઆઇએ તાકીદે કલાસ બંધ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

(11:33 am IST)