Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ધોરાજીમાં ૯૯ જેટલા લોકો પાસેથી ૫ ટકાના હિસાબે વાર્ષિક ૬૦ ટકા વ્યાજ લેનાર વ્યાજખોરોના જામીન નામંજૂર

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા. ૧૪: ધનતેરસના દિવસે સામાન્ય રીતે ચોપડા પૂજન થાય અને પરંપરા પ્રમાણે શ્રી સવા એટલે કે સવા ગણો નફો કરવો તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ જેતપુર પરામાં રહેતા નવનીત પ્રહલાદભાઈ ચલા એ કાયદાનો દુરૂપયોગ કરી અને અભણ માણસોને વ્યાજે રૂપિયા ગેરકાયદેસર આપતા અને પોલીસ તપાસ દરમ્યાન તેમની પાસેથી કબજે થયેલ ડાયરીમાં શ્રી ૫% લખેલું હતું.

આ આખો બનાવ જોવામાં આવે તો પાટણવાવ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી યશપાલસિંહ ભરત સિંહ રાણા પાસે ફરિયાદ આવતા તેમણે તપાસ શરૂ કરેલી અને આ તપાસ દરમિયાન ડિસ્કવરી પંચનામા અને અન્ય રીત ની તપાસ પણ થયેલી જે તપાસ દરમિયાન વ્યાજે નાણા મોટાપાયે નવનીત પ્રહલાદભાઈ ચલા સામાન્ય લોકોને આપતા હોય અને પોતાના બચાવ માટે કોરા સ્ટેમ પેપર કોરા ચેક લઈ લેતા હતા આ હકીકત ધ્યાને લેવાય અને તેમની ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ પાટણમાં પોલીસે રિમાન્ડ મેળવેલા અને ધોરાજીના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મોદીએ તેમના જામીન રદ્દ કરેલા હતા.

આ જામીન રદ થયા બાદ મહત્ત્।મ સાત વર્ષની સજાની જોગવાઈ છે તેવી દલીલ સાથે નવનીતભાઈ પ્રહલાદભાઈ ચલા તરફથી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવે રૂબરૂ જામીન અરજી કરેલી હતી આ જામીન અરજીમાં સરકારી વકીલ શ્રી કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે અરજદાર ખૂબ ઊંચા વ્યાજના દરે નાણા ધીરધારનો ધંધો કરે છે આપેલી રકમથી ત્રણ ગણી રકમ વસૂલ કરે છે અને કોઈને દવાખાના કે તેવી મજબૂરીના સમયે તેમની પાસેથી રકમ આપી અને પ્રોમિસરી નોટ કોરા સહીવાળા ચેક કબૂલાતનામા ઓ લઇ લે છે અને પાછળથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ની જોગવાઇ નો દુરૂપયોગ કરે છે જેના કારણે લાચાર અને મજબૂર માણસોએ આત્મહત્યા કરવાના પ્રશ્નો વધી રહ્યા છે અને આરોપી નવનીતભાઈ ચલા ની ઓફિસમાં જ થયેલા વ્યવહારનું સીસીટીવી ફૂટેજ તપાસ કરનાર અધિકારી શ્રી રાણાએ કબજે કરેલ છે તપાસ થઇ રહી છે લગભગ નવ્વાણું જેટલી વ્યકિતઓને માસિક ૫% ના હિસાબે વ્યાજે નાણાં આપેલ છે જે જોવામાં આવે તો વાર્ષિક ૬૦ ટકા જેટલો વ્યાજદર થાય અને ફરિયાદી કેતન ભુપતભાઈ આ તમામ સંજોગો જોતા આરોપી સામે ગુનો પુરવાર છે અને તેની જામીન અરજી રદ કરવી જોઈએ.

હાલના કિસ્સાને ખાસ કિસ્સો ગણાવી સરકારી વકીલ તરફથી જામીન રદ કરવા માટે દલીલો કરવામાં આવેલી હતી ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિકટ જજ  હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આ તમામ સંજોગોને ધ્યાને લઇ અને આરોપી નવનીત પ્રહલાદભાઈ ચલાની ત્રણ જામીન અરજીઓ રદ કરી નાખેલ છે.

(11:36 am IST)