Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સુરેન્દ્રનગર : વિચરતી જાતિના ૫૫ પરિવારોને પ્લોટના હુકમો

વઢવાણ : ચોટીલા તેમજ ધ્રાંગધ્રામાં સરાણીયા અને ગાડલીયા પરિવારો ઝુંપડા બાંધીને રહે છે. આ લોકોને રહેણાંક માટે પ્લોટ મળે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે વ્યાસે કલેકટરને રજુઆત કરી હતી. આથી ચોટીલા તાલુકાના નાવા ગામે તેમજ ધ્રાંગધ્રામાં ૧૦૦ ચો.વાર ના પ્લોટનો હુકમ કરીને કલેકટર કે.રાજેશના હસ્તે આ પરિવારોને પ્લોટોના હુકમો વિતરણ કરાયા હતા. આ પ્રસંગે કલેકટરે આ પરિવારોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. પ્લોટના હુકમો મળતા આ પરિવારોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને આટલા વર્ષો પછી અમે સાચી દિવાળી મનાવીશુ એવુ આ પરિવારો એ જણાવ્યુ હતુ. સાથે સાથે કલેકટર તેમજ જીલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.  કાર્યક્રમને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે વ્યાસે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:38 am IST)