Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જેતપુરમાં આવતી કાલે નૂતન વર્ષ નિમિતે ધાર્મિક સ્થળોમાં અન્નકૂટના દર્શન

જેતપુર :શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ દિવાળી ના બીજા દિવસે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ ના દર્શન યોજાતા હોય છે. જે આ વર્ષે પણ આવતી કાલે તા. ૧૫ રવિવાર ના રોજ હવેલી તેમજ સ્વામી નારાયણ મંદિર માં ઠાકોરજી ને અન્નકૂટ ધરાશે. મોટી હવેલી ખાતે સાંજે ૫ થી ૭, સ્વામી નારાયણ મંદિરે તેના નિત્ય સમય મુજબ સવારે ૯ વાગ્યા થી, બાવાવાળાં પરા મથુરેશજી હવેલી ખાતે મહામારી ને ધ્યાને લઈ ભીતર ઠાકોરજી ને અન્નકૂટ ધરાશે. જેના દર્શન નો લાભ લેવા ભાવિક ભકતો અનુરોધ કરાયો છે.

(9:59 pm IST)