Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોરબીના ડોકટરો દ્વારા રામમંદિર નિમાર્ણ માટે ૨૨.૫૧ લાખ અપર્ણ

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૫ : અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીમાં પ્રેકટીસ કરતા વિવિધ ડોકટરોના એસો દ્વારા રામમંદિર નિર્માણ માટે ૨૨.૫૧ લાખની નિધિ અર્પણ કરવામાં આવી છે

મોરબી ઇન્ડિયન મેડીકલ એસોના મુખ્ય સહયોગ ઉપરાંત અન્ય તબીબી સંગઠનો જેવા કે આયુર્વેદ એસો, વૈધસભા, હોમીયોપેથી એસો, ડેન્ટીસ્ટ એસો, ફિઝીયોથેરાપી એસો, લેબોરેટરી ટેકનીશીયન સહિતની સંસ્થાઓએ યોગદાન આપ્યું હોય અને અત્યાર સુધીમાં ૨૨,૫૧,૦૦૦ ની રકમનું યોગદાન આપ્યું છે જે પ્રસંગે રામ જન્મભૂમી તીર્થક્ષેત્ર મધ્યસ્થ કાર્યાલય ખાતે ડોકટર મિત્રો ડો. વિજય ગઢિયા, ડો. દીપક અઘારા, ડો. હિતેશ પટેલ, ડો. જયેશ સનારીયા અને ડો. વિનોદ કૈલા દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

(1:05 pm IST)