Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ધોરાજીના સમાજ શ્રેષ્‍ઠીને ત્રણ પુત્રીઓએ અગ્નિદાહ આપ્‍યો

જમનભાઇ સાંગાણીનું ચક્ષુદાન : ધોરાજી : કલ્‍યાણ સોસાયટીમાં રહેતા સેવાભાવી જમનભાઇ કરમશીભાઇ સાંગાણીનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવાનો નિર્ણય કરાતા ધોરાજી સરકારી હોસ્‍પિટલ ખાતે તેમનું ચક્ષુદાન કરાયું હતું. તેમના ચક્ષુઓને રાજકોટ મેડીકલ કોલેજ ખાતે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી દ્વારા પહોંચ્‍યા હતા. સ્‍વ. જમનભાઇ સાંગાણી પરિવારની સેવાઓને બીરદાવી હતી. આ માનવ સેવા યુવક મંડળ દ્વારા ચક્ષુદાન સુવિધા ચાલુ કરાતા બીજુ ચક્ષુદાન છે. તેઓનો પુત્ર વિદેશ હોઇ ત્રણેય પુત્રીઓએ અર્થીને કાંધ આપી અગ્નિદાહ આપ્‍યો હતો.

(1:14 pm IST)