Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભાવનગરમા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫ દર્દી કોરોનામુક્ત : જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૦૯ કેસો પૈકી માત્ર ૨૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

વિપુલ હિરાણી, ભાવનગર તા. ૧૫ : ભાવનગર જિલ્લામા આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૦૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૪ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫ કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

 

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૦૯ કેસ પૈકી હાલ ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:44 pm IST)